કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસના ગુજરાત પ્રવાસે છે ત્યારે સમસ્ત મોદી સમાજ રાષ્ટ્રીય અધિવેશનનું અમિત શાહનાં હસ્તે ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. સમસ્ત મોદી સમાજના રાષ્ટ્રીય અધિવેશનમાં ગુજરાત અને અન્ય રાજ્યમાંથી મોદી સમાજના 1500 જેટલા લોકો જોડાયા હતા. આ અધિવેશનમાં સામાજિક ઉત્થાન અને રૂઢિચુસ્ત રિવાજ બદલવા અંગે ચર્ચા કરાઈ હતી.
આ અધિવેશનમાં યુવાનોનાં અભ્યાસ સહિતના મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી.સમસ્ત મોદી સમાજ રાષ્ટ્રીય અધિવેશનમાં અમિત શાહે સંબોધન કર્યું હતું. જેમાં તેઓએ મોદી સમાજ પર રાહુલ ગાંધીએ કરેલી ટિપ્પણી મામલે અમિત શાહે નિવેદન આપ્યું હતું કે પૂર્ણેશભાઈ એક લડાઈ લડી છે. તે વખાણવા લાયક છે અને પૂર્ણેશભાઈએ જે લડાઈ લડી તે મજબૂતાઈથી લડી છે. કોઈ વ્યક્તિનું અપમાન થાય તે નાની વાત છે. પરંતું સમાજ અને દેશનાં પ્રધાનમંત્રીનું અપમાન તે દેશનું અપમાન છે. પૂર્ણેશભાઈએ આ લડાઈને પરિણામલક્ષી રીતેથી લડ્યા છે. પૂર્ણેશભાઈએ પોતાની લડાઈમાં જીત પણ મેળવી છે.





