કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અપીલ બાદ મણિપુરમાં બદમાશોએ 140 હથિયારો સરેન્ડર કર્યા છે. જેમાં હાઈટેક રાઈફલ અને ગ્રેનેડ પણ સામેલ છે. મણિપુર પોલીસે આ અંગે માહિતી આપી હતી. રાજ્યમાં 3 મેના રોજ હિંસા ફાટી નીકળી હતી. આ પછી, પોલીસ શસ્ત્રાગારમાંથી લગભગ 2,000 હથિયારો લૂંટી લેવામાં આવ્યા હતા.
એક મહિના પછી પણ રાજ્યમાં હિંસા અટકી નથી ત્યારે ગૃહમંત્રી અમિત શાહ 29 મેના રોજ ચાર દિવસની મુલાકાતે મણિપુર પહોંચ્યા હતા. ગુરુવારે શાહે મણિપુરમાં લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવા જણાવ્યું હતું.
આવતીકાલથી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. જો કોઈની પાસે હથિયારો હશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. 24 કલાક બાદ જ આટલી મોટી સંખ્યામાં બદમાશોએ આત્મસમર્પણ કર્યું છે. બીજી તરફ રાજ્યના 5 જિલ્લામાંથી કર્ફ્યુ હટાવી લેવામાં આવ્યો છે.





