ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ આ સમગ્ર મામલામાં સતત નજર રાખી રહ્યા છે. અશ્વિની વૈષ્ણવે રવિવારે (4 જૂન) આ વિશે મોટી માહિતી શેર કરી હતી. રેલવે મંત્રીએ કહ્યું કે રેલવે સુરક્ષા કમિશનરે આ મામલે તપાસ કરી છે. અકસ્માતનું કારણ શોધી કાઢવામાં આવ્યું છે અને તેના માટે જવાબદાર લોકોની પણ ઓળખ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગમાં ફેરફારને કારણે આ અકસ્માત થયો છે.
અશ્વિની વૈષ્ણવે કહ્યું, ‘બાલાસોરમાં ત્રણ ટ્રેનની ટક્કરમાં 288 મુસાફરોના મોત થયા છે. કમિશનર ઓફ રેલ્વે સેફ્ટીએ આ મામલે તપાસ કરી છે અને ઘટનાનું કારણ અને તેના માટે જવાબદાર લોકોની ઓળખ કરી લેવામાં આવી છે. રેલ્વે મંત્રીએ વધુમાં કહ્યું કે રેલ્વે સુરક્ષા કમિશનરે આ મામલે તપાસ કરી છે. તપાસ રિપોર્ટ આવે ત્યાં સુધી રાહ જોવી પડશે. પરંતુ અમે ઘટનાનું કારણ અને તેના માટે જવાબદાર લોકોની ઓળખ કરી લીધી છે.





