જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ બિહારના એક મજૂરની ગોળી મારીને હત્યા કરી નાખી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, દક્ષિણ કાશ્મીરના અનંતનાગના જબલીપોરા ગામ બિજબેહેરામાં આતંકવાદીઓએ બે બિન-સ્થાનિક મજૂર પર ગોળીબાર કર્યો હતો. બાદમાં હોસ્પિટલમાં તેનું મૃત્યુ થયું હતું.
ઈજાગ્રસ્ત હાલતમાં મજૂરને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્તની ઓળખ બિહારના રહેવાસી શંકર શાહના પુત્ર રાજા શાહ તરીકે થઈ છે. જો કે, હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી, સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, મજૂરને ખૂબ નજીકથી ગોળી વાગી હતી અને ગરદન અને પેટમાં બે ગોળી વાગી હતી. જ્યારે સેનાએ તે વિસ્તારને ઘેરી લીધો હતો જ્યાં આતંકી હુમલો થયો હતો.