ફડણવીસે જણાવ્યું કે, આજે માત્ર એકનાથ શિંદે જ શપથ ગ્રહણ કરશે. હું એકનાથ શિંદેના મંત્રીમંડળથી બહાર રહીશ. 2019 માં ભાજપ અને શિવસેનાએ સાથે મળીને ચૂંટણી લડી હતી. અમને તે સમયે પૂર્ણ બહુમત મળી હતી.
મહારાષ્ટ્રના રાજકારણમાં છેલ્લા બે અઠવાડિયાથી ચાલી રહેલા આ રાજકીય સંઘર્ષ હવે નવી સરકારની રચના કરવાની સાથે સમાપ્ત થતું જોવા મળી રહ્યું છે. ત્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ નહીં પરંતુ એકનાથ શિંદે બનશે. આ જાહેરાત ખુદ દેવેન્દ્ર ફડણવીસે શિંદેની હાજરીમાં કરી છે. ફડણવીસે જણાવ્યું કે, આજે માત્ર એકનાથ શિંદે જ શપથ ગ્રહણ કરશે. હું એકનાથ શિંદેના મંત્રીમંડળથી બહાર રહીશ. 2019 માં ભાજપ અને શિવસેનાએ સાથે મળીને ચૂંટણી લડી હતી. અમને તે સમયે પૂર્ણ બહુમત મળી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અમને મોટી જીત મળી હતી
આ ઉપરાંત 3 જુલાઈના બાકી બંને જૂથના 3-3 મંત્રીઓ શપર ગ્રહણ કરશે. બંને નેતા રાજ્યપાસ સાથે મુલાકાત કરી રહ્યા છે અને થોડીવારમાં સરકાર બનાવવાનો દાવો કરી શકે છે. ભાજપ કોટાથી આજે ગિરીશ મહાજન, પ્રવીણ દેરકર, સુધીર મનગંટીવાર, ચંદ્રકાન્ત પાટિલ મંત્રી બની શકે છે. ત્યારે શિંદે જૂથમાંથી ભરત ગોગાવલ, ઉદય સામંત, તાનાજી સાવંત, સંજય શિરસાટ અને સંદીપાન ભુમરેને મંત્રી બનાવવામાં આવી શકે છે.