Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આપદાથી અમરનાથ યાત્રા હાલ પુરતી અટકાવી દેવામા આવી

16 લોકોના મોત, 6ને બચાવી લેવાયા,40 જેટલા લોકો ગાયબ

aaspassdaily by aaspassdaily
2022-07-09 04:07:22
in તાજા સમાચાર, પ્રાદેશિક, સમાચાર
Share on FacebookShare on Twitter

પવિત્ર અમરનાથ ગુફા પાસે શુક્રવારે સાંજે આભ ફાટતા અચાનક આવેલા પુરના કારણે કેટલાય લોકો તણાઈ ગયા છે અને લગભગ 16 જેટલા લોકોના મોત પણ થયા છે. એક અધિકારીએ તેની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે, આ દુર્ઘટનામાં લગભગ 40 જેટલા લોકો ગાયબ છે. જ્યારે છ જણાને આજે સવારે બચાવી લેવાયા છે. ગત રોજ અમરનાથ ગુફાની નજીક વાદળ ફાટવાના કારણે ભારે માત્રામાં પાણી નીચે વહી રહ્યું હતું. પોલીસ તથા એનડીઆરએફના અધિકારીઓએ જણાવ્યું હતું કે, કેટલાય ટેંટ તથા સામૂહિક રસોઈ ઘર તૂટી ગયા છે. અમરનાથ ગુફાથી લગભગ 2 કિમી દૂર આ ઘટના ઘટતા પ્રશાસને રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. સાથે આ અમરનાથ યાત્રાને રોકી દેવામાં આવી છે. જ્યાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર છે.
જમ્મુ કાશ્મીર પ્રશાસનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, વાદળ ફાટવાના કારણે આવેલી આપદાથી અમરનાથ યાત્રા હાલ પુરતી અટકાવી દેવામા આવી છે. તથા તેને શરૂ કરવાનો નિર્ણય બચાવ કાર્ય પુરુ થયા બાદ જ લેવાશે. અમરનાથ યાત્રા 30 જૂને શરૂ થઈ હતી.

#WATCH | Indian Army continues rescue operation in cloudburst affected area at the lower Amarnath Cave site

(Source: Indian Army) pic.twitter.com/0mQt4L7tTr

— ANI (@ANI) July 9, 2022

અધિકારીઓએ જણાવ્યુ હતું કે, વરસાદના કારણે પહાડમાંથી પાણી અને મોટો પ્રવાહ વહેવા લાગ્યા હતા. એનડીઆરએફની એક ટીમ પ્રભાવિત વિસ્તારમાં તૈનાત છે. આ મોટી ત્રાસદીને જોતા ભારતીય સેનાએ મોર્ચો સંભાળી લીધો છે. જ્યાં હેલીકોપ્ટરની મદદ લેવાઈ રહી છે.
વાદળ ફાટવાની ઘટના બાદ વરસાદથી સમગ્ર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે અને અહીં શ્રદ્ધાળુઓ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વાદળ ફાટ્યા બાદ કેટલાય લોકો ગુમ છે. પાણીના ઝડપી વહેણના કારણે તબાહીના દ્રશ્યો પણ સામે આવ્યા છે. અમરનાથ શ્રાઈન બોર્ડ અને એનડીઆરએફ તરફથી હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે.
અમરનાથમાં આભ ફાટવાની ઘટના પર પ્રધાનમંત્રી મોદીએ દુ: ખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું છે કે, વાદળ ફાટવાની ઘટનાથી વ્યથિત છું, શોક સંતપ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના. કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ અમરનાથ ગુફામાં વાદળ ફાટવાની ઘટના પર પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે, હું અમરનાથની પવિત્ર ગુફા મંદિર પાસે વાદળ ફાટવાની ઘટનામાં શ્રદ્ધાળુઓના મોતથી દુ:ખી છું.

હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા
0194 2313149
0194 2496240
9596779039
9797796217
01936243233
01936243018

Tags: amarnathindia
Previous Post

અમરનાથ ગુફા પાસે આભ ફાટ્યું, 5 લોકોના થયા મોત

Next Post

ટૂંક સમયમાં મહારાષ્ટ્રમાં મંત્રી મંડળનું વિસ્તરણ

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
ટૂંક સમયમાં મહારાષ્ટ્રમાં મંત્રી મંડળનું વિસ્તરણ

ટૂંક સમયમાં મહારાષ્ટ્રમાં મંત્રી મંડળનું વિસ્તરણ

5થી 12 વર્ષના બાળકોને લાગશે બે કોરોનાની વેક્સિન

5થી 12 વર્ષના બાળકોને લાગશે બે કોરોનાની વેક્સિન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.