Wednesday, November 29, 2023
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
  • વિશેષ લેખ
  • બિઝનેસ
  • મનોરંજન
  • જ્યોતિષ
  • લાઈફ સ્ટાઈલ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
  • વિશેષ લેખ
  • બિઝનેસ
  • મનોરંજન
  • જ્યોતિષ
  • લાઈફ સ્ટાઈલ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • Home
  • ઈ પેપર
  • સમાચાર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

લઠ્ઠાકાંડમાં ભાવનગર રીફર કરાયેલ ૧૦ લોકોએ દમ તોડ્યો

ભાવનગર હોસ્પિટલમાં આજ બપોર સુધીમાં ૬૫ દર્દીઓને રીફર કરાયા - એક ખાનગી હોસ્પિટલમાં દાખલ : અસરગ્રસ્તોને લઈ આવતી એક પછી એક એમ્બ્યુલન્સના પગલે રાતભર હોસ્પિટલ ધમધમતી રહી : હોસ્પિટલ તંત્રએ પણ ખડે પગે સેવા બજાવી

aaspassdaily by aaspassdaily
2022-07-26 16:13:44
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

બોટાદના બરવાળા અને અમદાવાદના ધંધુકા પંથકમાં લઠ્ઠાકાંડની ઘટનામાં અસરગ્રસ્ત ૬૫ જેટલા લોકોને સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી દસ દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા હોવાનું જાણવા મળ્યું છે ભાવનગર લાવવામાં આવેલ અસરગ્રસ્તો પૈકી એક વ્યક્તિને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે.

બોટાદના બરવાળા તાલુકાના રોજીદ સહિતના ગામના લોકોએ દારૂ પીધા બાદ તબિયત લથડતા તેમને સારવાર માટે બરવાળા બોટાદ અને ધંધુકા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલ ખસેડવામાં આવેલ દર્દીઓના મૃત્યુનો સિલસિલો શરૂ થતા ભાવનગર હોસ્પિટલની મેડિકલ ટીમ જરૂરી દવા,સાધનો સાથે બોટાદ દોડી ગઈ હતી,આ ઉપરાંત રેન્જ આઈ.જી.પણ બોટાદ દોડી ગયા હતા. બોટાદ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા સતત વધતા ગંભીર અસરગ્રસ્તોને સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા હતા.ગઈ કાલ મોડી સાંજથી દર્દીઓને ભાવનગર હોસ્પિટલમાં ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતા આજ બપોર સુધીમાં ૬૫ જેટલા દર્દીઓને ભાવનગર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યારે એક દર્દીને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

ભાવનગર ખસેડવામાં આવેલ અસરગ્રસ્તો પૈકી ગઈ કાલ મોડી સાંજ સુધીમાં ચાર અને ત્યાર બાદ આજે બપોર સુધીમાં વધુ ૬ વ્યક્તિઓના મોત થતા ભાવનગર હોસ્પિટલમાં કુલ ૧૦ દર્દીઓના મોત થયા હતા.

ગઈ કાલ મોડી સાંજથી જ દર્દીઓને લઈને આવી રહેલી એક પછી એક એમ્બ્યુલન્સના પગલે હોસ્પિટલમાં આખી રાત દોડધામભરી સ્થિતિ જોવા મળી હતી. હોસ્પિટલના તબીબો સહિતના સ્ટાફ તેમજ તંત્રએ પણ ખડે પગે સેવા કરી દર્દીઓને તાત્કાલિક સારવાર મળે તેવા પ્રયત્નો કર્યા હતા.

સર ટી.હોસ્પિટલમાં અસરગ્રસ્ત લોકોની આવકના પગલે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, ઉપરાંત પોલીસ અધિકારીઓ પણ હોસ્પિટલની મુલાકાત લઈ પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.

Tags: bhavnagarlaththakandmot
Previous Post

સર તખ્તસિંહજી હોસ્પિટલમાં તાકિદના ધોરણે સાફ-સફાઇ

Next Post

શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ભાવનગર હોસ્પિટલ પહોંચ્યા

aaspassdaily

aaspassdaily

Related News

ફાઇનલમાં ભારતની હારની ઉજવણી કરતા 7 કાશ્મીરી વિદ્યાર્થીની ધરપકડ
તાજા સમાચાર

ફાઇનલમાં ભારતની હારની ઉજવણી કરતા 7 કાશ્મીરી વિદ્યાર્થીની ધરપકડ

November 28, 2023
ચિંતા ન કરો, મોદી જ ફરી સતા પર આવશે: નાણામંત્રી
તાજા સમાચાર

ચિંતા ન કરો, મોદી જ ફરી સતા પર આવશે: નાણામંત્રી

November 28, 2023
ઉપરાષ્ટ્રપતિ ગાંધીજીની માફક જ મોદીને આ સદીના યુગપુરૂષ ગણાવતા વિવાદ
તાજા સમાચાર

ઉપરાષ્ટ્રપતિ ગાંધીજીની માફક જ મોદીને આ સદીના યુગપુરૂષ ગણાવતા વિવાદ

November 28, 2023
Next Post
શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ભાવનગર હોસ્પિટલ પહોંચ્યા

શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ભાવનગર હોસ્પિટલ પહોંચ્યા

લઠ્ઠાકાંડનો કુલ મૃત્યુ આંક 31 થયો

લઠ્ઠાકાંડનો કુલ મૃત્યુ આંક 31 થયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
  • શો ટાઈમ ન્યૂઝ
  • વિશેષ લેખ
  • બિઝનેસ
  • લાઈફ સ્ટાઈલ
  • મનોરંજન
  • જ્યોતિષ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.