Wednesday, July 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

દોઢ વર્ષ પૂર્વે યુવકના આપઘાતના મામલે બે મહિલા સહિત ત્રણ વિરુદ્ધ ગુનો નોંધાયો

બળાત્કારના ગુનામાં સંડોવી દેવાની ધમકી આપી ભાવનગરના યુવકને બ્લેકમેઇલ કરી રૂપિયા ૧૦ લાખની માંગણી કરતા યુવકે આપઘાત કરી લીધો હતો

aaspassdaily by aaspassdaily
2022-08-03 13:58:16
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગરના ૧૫૦ ફૂટ રિંગ રોડ,નારાયણ સોસાયટીમાં રહેતા વ્યક્તિએ આજથી દોઢ વર્ષ પહેલા બે મહિલા સહિત ત્રણ શખ્સોના ત્રાસથી કંટાળી જઇ આપઘાત કરી લેવાના કિસ્સામાં મૃતકના ભાઈએ ત્રણેય વિરુદ્ધ પોતાના ભાઈને મરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવતા ભરત નગર પોલીસે તપાસ હાથ ધરી છે.
આ બનાવવાની વિગતો એવા પ્રકારની છે કે, શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ, નારાયણ સોસાયટી પ્લોટ નંબર ૨૩-૨૪ માં રહેતા જગદીશભાઈ મથુરભાઈ ખેરાળા ના ભાઈ અરવિંદભાઈને ગીતાબેન રવજીભાઈ ગોહેલ, તેના બહેન અને કિશન ચુડાસમા નામનો શખ્સ બળાત્કારના ગુનામાં ફિટ કરી દેવાની ધમકી આપી તેનો વિડીયો ઉતાર્યો અને અશ્લીલ ફોટા પાડેલ તેમજ તેને બદનામ કરવાની અવારનવાર ધમકી આપતા હતા. ગઈ તારીખ ૨૩/૨/૨૦૨૧ ના રોજ આ ત્રણેય ઈસમો ફરિયાદીના ઘરે આવ્યા હતા અને ફરિયાદીના પત્ની સહિતનાને ગાળો આપી ધમકી આપી હતી અને માર માર્યો હતો, તેમજ અરવિંદભાઈ પાસે રૂપિયા દસ લાખની માંગણી કરી હતી.
ગીતાબેન ગોહેલ અને તેની બહેન તથા કિશન ચુડાસમાના ત્રાસથી કંટાળી જઈ અરવિંદભાઈએ ગત તારીખ ૫/૩/૨૦૨૧ ના રોજ આપઘાત કરી લીધો હતો અને આપઘાત કરતા પહેલા ચિઠ્ઠી લખી ત્રણ વ્યક્તિના ત્રાસ હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
આ ઘટનાના દોઢ વર્ષ બાદ મૃતક અરવિંદભાઈના ભાઈ જગદીશભાઈએ ભરતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૩૦૬, ૩૮૪, ૫૦૪, ૫૦૬(૨) અને ૧૧૪ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Tags: aapghatbhavnagarFir
Previous Post

રૂ.૬ લાખના મ્યાંઉ મ્યાંઉ પાવડર સાથે શખ્સ ઝબ્બે

Next Post

ઝવેરચંદ મેઘાણીના પુત્ર મહેન્દ્રભાઇ મેઘાણીનુ ભાવનગર ખાતે નિધન

aaspassdaily

aaspassdaily

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
ઝવેરચંદ મેઘાણીના પુત્ર મહેન્દ્રભાઇ મેઘાણીનુ ભાવનગર ખાતે નિધન

ઝવેરચંદ મેઘાણીના પુત્ર મહેન્દ્રભાઇ મેઘાણીનુ ભાવનગર ખાતે નિધન

ઉંચી કૂદમાં પહેલી વાર મેડલ, તેજસ્વિન શંકરે રચ્યો ઈતિહાસ

ઉંચી કૂદમાં પહેલી વાર મેડલ, તેજસ્વિન શંકરે રચ્યો ઈતિહાસ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.