Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

મેળામાં મહાપાલિકાનું મન માનતું નથી ! :  જાે કે, ખાનગી આયોજક દ્વારા જન્માષ્ટમી લોકમેળાનું આયોજન

ભાવનગરમાં ત્રણ વર્ષ બાદ યોજાશે જન્માષ્ટમી મેળો : જવાહર મેદાનમાં મસમોટા ચકડોળ અને વિવિધ રાઇડ્‌સ સાથે ખાણી-પીણીના સ્ટોલ લાગશે

aaspassdaily by aaspassdaily
2022-08-05 13:38:47
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

સમગ્ર ગોહિલવાડમાં કોરોનાના અંતરાય બાદ આ વર્ષે શ્રાવણ માસની પરંપરાગત ઉજવણી થઇ રહી છે ત્યારે આગામી દિવસોમાં શ્રાવણી પર્વના હાર્દ ગણાતા સાતમ-આઠમનો તહેવાર પણ ભાવનગરીઓ પરંપરાગત રીતે ઉજવી શકશે. સાતમ-આઠમના દિવસોમાં આપણે ત્યાં લોકમેળાની પરંપરા રહી છે જે કોરોનાના કારણે છેલ્લા ત્રણ વર્ષથી તુટી હતી પરંતુ આ વખતે સાતમ-આઠમ પર્વનો જન્માષ્ટમીનો લોકમેળો યોજાશે. આ માટે તૈયારીઓ હાથ ધરી દેવાઇ છે.
શ્રાવણ મહિનામાં સાતમ-આઠમના દિવસોથી શરૂ કરી અમાસ સુધી જુદી જુદી જગ્યાઓએ મેળાની પરંપરા રહી છે તેમાં પણ ચકડોળ અને અવનવી રાઇડ્‌સ સાથે થતા ધંધાદારી લોકમેળાનું આકર્ષણ પણ વિશેષ રહે છે. ભાવનગરમાં પ્રતિવર્ષ જન્માષ્ટમીના લોકમેળાની પરંપરા રહી છે. અન્ય મહાનગરોમાં મહાનગરપાલિકાઓ દ્વારા લોકોના મનોરંજન હેતુ થઇને લોકમેળાના આયોજન થતા હોય છે. ભાવનગરમાં તત્કાલીન મ્યુ. કમિશનર પ્રદિપ શર્માના સમયે એક વખત મહાપાલિકાએ લોકમેળાનું જબરજસ્ત અને યાદગાર આયોજન કર્યું હતું. તે પછીના કોઇ કમિશનર કે શાસકોએ લોકમેળો યોજવા બીડુ ઝડપ્યું નથી. ધારાસભ્ય વિભાવરીબેન દ્વારા વચ્ચે બે-ત્રણ વખત લોકમેળાના આયોજન થયા છે તે નોંધનીય છે. આ સિવાય કોર્પોરેશન દ્વારા કોઇ આયોજન થયું નથી પરંતુ ભાવનગરમાં જન્માષ્ટમી લોકમેળાના આયોજન આયોજક દ્વારા પ્રતિવર્ષ લોકમેળો યોજવામાં આવે છે. પાછલા ત્રણ વર્ષ કોરોનાના કારણે જન્માષ્ટમી લોકમેળો થઇ શક્યો ન હતો પરંતુ આ વર્ષે રાંધણ છઠ્ઠ તા.૧૭ ઓગષ્ટથી ભાદરવી અમાસ તા.૨૭ ઓગષ્ટ સુધી જવાહર મેદાનમાં લોકમેળો યોજાશે. આ ધંધાદારી આયોજનમાં બાળકો અને મોટેરા સૌ કોઇ ચકડોળ તથા વિવિધ રાઇડ્‌સની મજા માણી શકશે.

Tags: bhavnagarmelo
Previous Post

જિલ્લા પ્રભારી મંત્રી કિરીટસિંહ રાણાની ઉપસ્થિતિમાં દબદબાભેર પ્રવેશ ઉત્સવ

Next Post

જેસર સહિતના વિસ્તારમાં સારા વરસાદના પગલે શેત્રુંજી ડેમમાં ૨૦૩૦ ક્યુસેક પાણીની આવક

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
જેસર સહિતના વિસ્તારમાં સારા વરસાદના પગલે શેત્રુંજી ડેમમાં ૨૦૩૦ ક્યુસેક પાણીની આવક

જેસર સહિતના વિસ્તારમાં સારા વરસાદના પગલે શેત્રુંજી ડેમમાં ૨૦૩૦ ક્યુસેક પાણીની આવક

દુઃખી દીકરીને તેડવા આવેલા પિતાને ધમકાવી સાસરિયાઓએ તગેડી મુક્યા

સિહોરમાં વૃદ્ધ મહિલાની દેખરેખ માટે સાથે રહેતા શખ્સે મિલકત ઉપર કબજાે જમાવ્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.