Wednesday, July 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

‘આપ’ના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ કાલે ભાવનગરમાં બેરોજગારીનો મુદ્દો ગજવશે

૨૭ દિવસમાં કેજરીવાલ બીજી વખત ભાવનગરની મુલાકાતે, નાયબ મુખ્યમંત્રી સિસોદીયા પણ આવે તેવી સંભાવના, ઝવેરચંદ મેઘાણી ઓડીટોરિયમમાં સંમેલન યોજી રાજ્ય સરકાર પર કરશે પ્રહારો, રાજકારણમાં ગરમાવો

aaspassdaily by aaspassdaily
2022-08-22 13:53:54
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઇ નથી પરંતુ પ્રચાર-પ્રસારનો માહોલ અત્યારથી જ શરૂ થઇ ચુક્યો છે. ગુજરાતમાં પોતાની પક્કડ મજબુત કરવા આમ આદમી પાર્ટીના સુપ્રિમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નક્કી કરી લીધુ છે અને તેઓ સમયાંતરે ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે. આવતીકાલે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ, નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયા તથા સંગઠનની ટીમ ભાવનગર આવી રહી છે. શહેરના સરદારનગર સ્થિત મેઘાણી ઓડીટોરિયમ ખાતે સંમેલન કરશે. આ કાર્યક્રમમાં ખાસ કરીને ગુજરાતમાં બેરોજગારીનો મુદ્દો હાથ પર લેવાશે તેમ જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, હજુ ગત મહિને જ કેજરીવાલ ભાવનગર આવીને ગયા ત્યાં બીજા જ મહિને તેમનો આ બીજાે પ્રવાસ ગોઠવાયો છે.
આપ સુપ્રિમો અરવિંદ કેજરીવાલના ભાવનગરના પ્રવાસ અંગે આમ આદમી પાર્ટી દ્વારા આજે સત્તાવાર રીતે જાહેરાત કરાઇ છે. પાર્ટી દ્વારા જણાવાયા અનુસાર તા.૨૩ને મંગળવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયા તથા ગુજરાત સંગઠનના નેતાઓ ભાવનગરની મુલાકાત લેશે. શહેરના સરદારનગર સ્થિત ઝવેરચંદ મેઘાણી ઓડીટોરિયમ હોલમાં બપોરે ૧ વાગ્યે સંમેલન યોજાશે જેમાં અરવિંદ કેજરીવાલ ઉપસ્થિત રહી ગુજરાતમાં બેરોજગારી તથા સરકારી નોકરી ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ-ભ્રષ્ટાચાર અને પેપર ફુટવા જેવી ઘટનાઓ મુદ્દે તડાપીટ બોલાવશે. અરવિંદ કેજરીવાલ બપોરે ૧૨ કલાકે હવાઇ માર્ગે ભાવનગર આવી પહોંચશે અને ૪ કલાકનું રોકાણ કરી તેઓ સાંજે ૪ કલાકે હવાઇ માર્ગે પરત જવા રવાના થશે.
ઉલ્લેખનીય છે કે, ગત ૨૬ જુલાઇના બોટાદ-બરવાળામાં થયેલ કેમિકલ કાંડને લઇને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ભાવનગર દોડી આવ્યા હતા અને દારૂબંધીના કાયદાને લઇને રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યાં હતાં ત્યાં મહિનાની અંદર જ બીજીવાર તેમનો ભાવનગરનો કાર્યક્રમ ગોઠવાઇ રહ્યો છે. આમ આદમી પાર્ટીના ભાવનગરના પ્રમુખ મહિપાલસિંહ ઝાલાએ અરવિંદ કેજરીવાલનો આવતીકાલનો કાર્યક્રમ કન્ફર્મ હોવાનું જણાવ્યું હતું.

Tags: aapbhavnagarkejarival
Previous Post

મીઠી વીરડીના યુવક ઉપર સામાન્ય બાબતે ત્રણ શખ્સોએ હુમલો કર્યો

Next Post

ઉત્સવની ઉજવણી માટે સજ્જ વિઘ્નહર્તાની મુર્તિઓ

aaspassdaily

aaspassdaily

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
ઉત્સવની ઉજવણી માટે સજ્જ વિઘ્નહર્તાની મુર્તિઓ

ઉત્સવની ઉજવણી માટે સજ્જ વિઘ્નહર્તાની મુર્તિઓ

દુઃખી દીકરીને તેડવા આવેલા પિતાને ધમકાવી સાસરિયાઓએ તગેડી મુક્યા

ભદ્રાવળ-૨ ગામમાં જૂની અદાવતે પિતા-પુત્ર ઉપર હુમલો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.