ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધો. 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર સવારે 7\30 વાગ્યે જાહેર કરાયું છે. આ પરીક્ષામાં 4,79,298 નિયમિત ઉમેદવારો નોંધાયા હતા. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 73.27 ટકા પરિણામ આવ્યું છે. જેમાં સૌથી વધુ વાંગધ્રા કેન્દ્રનું 95.85 ટકા પરિણામ અને સૌથી ઓછુ દેવગઢબારિયા કેન્દ્રનું 36.28 ટકા પરિણામ આવ્યું છે.
માર્ચ 2023ની સામાન્ય પ્રવાહની પરીક્ષા રાજ્યના 482 કેન્દ્રો ઉપર લેવામાં આવી હતી. જેમાં 4,79,298 નિયમિત ઉમેદવારો નોધાયા હતા, જે પૈકી 4,77,392 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા, તેમાંથી 3,49,792 પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયાં છે. નિયમિત ઉમેદવારોનું પરિણામ 73.27 % ટકા આવ્યું છે. જયારે અગાઉના વર્ષમાં ઉત્તીર્ણ ન થયા હોય તેવા રીપિટર ઉમેદવારો તરીકે 29,974 ઉમેદવારો નોંધાયા હતા, તે પૈકી 28,321 પરીક્ષા આપી હતી.જેમાં 11,205 ઉમેદવાર પાસ થયા છે. આમ રીપિટર ઉમેદવારોનું પરિણામ 39.56 % ટકા આવ્યું છે.
પરિણામ
વિદ્યાર્થિનીઓનું 80.39 ટકા, વિદ્યાર્થીઓનું 67.03 ટકા
સૌથી વધુ વાંગધ્રા કેન્દ્રનું 95.85 ટકા
સૌથી ઓછું દેવગઢબારિયા કેન્દ્રનું 36.28 ટકા
સૌથી વધુ કચ્છ જિલ્લાનું 84.59 ટકા
સૌથી ઓછું દાહોદ જિલ્લાનું 54.67 ટકા
100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 311
44 શાળાઓનું પરિણામ 10 ટકા કરતાં ઓછું






