ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે સાંજે એક ભયાનક ટ્રેન અકસ્માત થયો હતો. દેશમાં આ પહેલી મોટી ટ્રેન દુર્ઘટના નથી. આ પહેલા પણ ભારતમાં અનેક ભયાનક ટ્રેન અકસ્માતો થયા છે.
42 વર્ષ પહેલા થયેલી બિહાર ટ્રેન દુર્ઘટના વિશે જેને દેશની સૌથી મોટી ટ્રેન દુર્ઘટના માનવામાં આવે છે. દિવસ હતો 6 જૂન, 1981. માનસી-સહરસા રેલ સેક્શન પર બદલા ઘાટ-ધમારા ઘાટ સ્ટેશન વચ્ચે બાગમતી નદી પરના પુલ નંબર-51 પર મુસાફરોથી ભરેલી ટ્રેન પલટી ગઈ હતી. આ ટ્રેનમાં કુલ 9 ડબ્બા હતા. આ ટ્રેન માનસીથી સહરસા જઈ રહી હતી. આ અકસ્માતમાં 800 લોકોના મોત થયા હતા.
6 જૂન 1981ના રોજ માનસી સુધી ટ્રેન સુરક્ષિત રીતે આગળ વધી રહી હતી. ટ્રેન બપોરે 3 વાગ્યે બદલા ઘાટ પર પહોંચી. થોડીવાર રોકાયા પછી ટ્રેન ધીમે ધીમે ધમારા ઘાટ તરફ આગળ વધી. જ્યારે હવામાન ખરાબ થઈ ગયું ત્યારે ટ્રેને થોડું અંતર કાપ્યું હતું. જોરદાર વાવાઝોડા બાદ વરસાદ શરૂ થયો હતો. ત્યાં સુધીમાં ટ્રેન રેલના પુલ નંબર 51 પાસે પહોંચી ગઈ હતી. ટ્રેન પોતાની ઝડપે દોડી રહી હતી ત્યારે અચાનક ટ્રેનના ડ્રાઈવરે બ્રેક લગાવી, જેના પછી પેસેન્જર ટ્રેનના 9 બોગી પુલ પરથી બાગમતી નદીમાં પડી ગયા. ઘણા લોકોના મૃતદેહ કેટલાય દિવસો સુધી ટ્રેનની બોગીમાં ફસાયેલા હતા.
આ તરફ આ દુર્ઘટનામાં સત્તાવાર આંકડા અનુસાર મૃત્યુઆંક 300 હતો. પરંતુ, સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં લગભગ 800 લોકો માર્યા ગયા હતા. આ અકસ્માતને દેશની સૌથી મોટી ટ્રેન દુર્ઘટના તરીકે યાદ કરવામાં આવે છે.






