Sunday, December 10, 2023
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
  • વિશેષ લેખ
  • બિઝનેસ
  • મનોરંજન
  • જ્યોતિષ
  • લાઈફ સ્ટાઈલ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
  • વિશેષ લેખ
  • બિઝનેસ
  • મનોરંજન
  • જ્યોતિષ
  • લાઈફ સ્ટાઈલ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • Home
  • ઈ પેપર
  • સમાચાર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર જામનગર

લમ્પી સ્કીન ડીસીઝની સમીક્ષા તથા માર્ગદર્શન માટે સિનિયર સાયન્ટિસ્ટ સાથેની ટીમ જામનગરમાં

નિષ્ણાંતોએ પશુઓમાંથી ઇતરડી, લોહી, સીરમ, સ્કિન સ્ક્રેપિંગ સહિતના નમૂનાઓ લઈ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી

aaspassdaily by aaspassdaily
2022-07-27 09:48:52
in જામનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

 

જામનગર જિલ્લામાં પશુઓમાં જોવા મળી રહેલ લમ્પી સ્કિન રોગનો ફેલાવો અટકાવવા તથા પશુપાલકો તથા સ્થાનિક પશુ ચિકિત્સકોને માર્ગદર્શન પૂરું પાડવા કેન્દ્ર સરકાર દ્વારા સિનિયર સાયન્ટિસ્ટ સાથેની ટીમને જામનગર મોકલવામાં આવી છે.

Advertisement

આ રોગનાં ફેલાવાને અટકાવવા સરકાર દ્વારા યુધ્ધનાં ધોરણે કામગીરી હાથ ધરાઈ છે. જેનાં ભાગરૂપે જામનગર જિલ્લામાં ગઈકાલે I.V.R.I. બરેલીનાં સિનિયર સાયન્ટીસ્ટ ડો.એસ.નંદી તથા ડો.કે. મહેન્દ્ર તથા ગાંધીનગરથી મદદનીશ પશુ નિયામક નિલેન પટેલ સહિતનાં વિશેષજ્ઞોની એક ટીમે જિલ્લાના અલીયાબાડા તથા ધ્રોલનાં અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી. વાઈરસગ્રસ્ત બનેલા પશુઓનાં પશુપાલકો તેમજ સ્થાનિક ગ્રામજનો સાથે આ સંદર્ભે મુલાકાત કરી રોગના નિયંત્રણ અને સારવાર માટે યોગ્ય વ્યવસ્થાઓ ગોઠવવા અને રોગને વધુ ફેલાતો રોકવા માટે ગ્રામજનોને વિગતવાર માહિતી આપી હતી.
આ મુલાકાત દરમિયાન પશુ ચિકિત્સકોએ અસરગ્રસ્ત પશુઓમાંથી ઇતરડી, લોહી, સીરમ, સ્કિન સ્ક્રેપિંગ નાક તથા મોઢામાંથી સ્વેબ સહિતના નમૂના લઈ ઉંડાણ પૂર્વકની તપાસ હાથ ધરી હતી. તેમજ સારવાર માટેની ગાડલાઇન, વેકસીનેશન,આઇસોલેશન તથા રીહેબીલેશન વોર્ડમાં કેવી કાળજી રાખવી વગેરે અંગે પશુપાલકો તથા સ્થાનિક ચિકિત્સકો સાથે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. તેઓએ જણાવ્યું હતું. કે પશુઓના રહેઠાણના વિસ્તારમાં સ્વચ્છતા જાળવવી અને રોગીષ્ટ પશુને તાત્કાલિક અન્ય પશુઓથી અલગ કરીને માવજત કરવી અગત્યનું છે. અન્ય પગલાઓમાં પશુઓનાં રહેઠાણમાં મચ્છર, માખી, જૂ, ઇતરડી વગેરે ન થાય તે માટે યોગ્ય જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો જોઈએ. આ સંદર્ભમાં સરકાર દ્વારા લેવાયેલ સાવચેતીની પગલાઓ વિશે જણાવતા ખૂબ જલ્દી લમ્પીને રોકવામાં સફળ થવાની આશા વ્યક્ત કરી હતી.
આ મુલાકાત દરમિયાન ડો.હિતેશ કોરીંગા, ડો. કે.કે.ગોરીયા, ડો.રાકેશ પટેલ, ડો.રમેશ સંતોકિ સહિતના પશુપાલન વિભાગનાં વરિષ્ઠ અધિકારીઓએ પશુપાલકો-ગ્રામજનો સાથે સંવાદ કરી જરૂરી માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતુ.

Tags: Jamnagarlambi
Previous Post

દારૂબંધી છતાં દારૂ અને દારૂના નામે કેમિકલ વેચાય તે ગંભીર બાબત – કેજરીવાલ

Next Post

ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની જોરશોરથી તૈયારી શરૂ, ચૂંટણી અધિકારીની તાલિમનો કાર્યક્રમ જાહેર

aaspassdaily

aaspassdaily

Related News

નિકાસબંધીથી ડુંગળીના ભાવમાં જબ્બર કડાકો
ભાવનગર

નિકાસબંધીથી ડુંગળીના ભાવમાં જબ્બર કડાકો

December 9, 2023
મોતીતળાવમાં આજે પણ ઓપરેશન દબાણ હટાવ
ભાવનગર

મોતીતળાવમાં આજે પણ ઓપરેશન દબાણ હટાવ

December 9, 2023
દુઃખી દીકરીને તેડવા આવેલા પિતાને ધમકાવી સાસરિયાઓએ તગેડી મુક્યા
ભાવનગર

મહુવામાં ગાળો બોલવાની ના કહેતા પિતા-પુત્રોનો પાડોશી ઉપર હુમલો

December 9, 2023
Next Post
ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની જોરશોરથી તૈયારી શરૂ, ચૂંટણી અધિકારીની તાલિમનો કાર્યક્રમ જાહેર

ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની જોરશોરથી તૈયારી શરૂ, ચૂંટણી અધિકારીની તાલિમનો કાર્યક્રમ જાહેર

ભારતમાં યોજાશે 2025નો ICC મહિલા વર્લ્ડ કપ

ભારતમાં યોજાશે 2025નો ICC મહિલા વર્લ્ડ કપ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
  • શો ટાઈમ ન્યૂઝ
  • વિશેષ લેખ
  • બિઝનેસ
  • લાઈફ સ્ટાઈલ
  • મનોરંજન
  • જ્યોતિષ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.