મોંઘવારી, જીએસટી અને કેન્દ્ર સરકારની નીતિઓ સામે કોંગ્રેસ શુક્રવારે રોડથી સંસદ સુધી વિરોધ પ્રદર્શન કરી રહી છે. થોડીવારમાં રાહુલ-પ્રિયંકા પીએમના નિવાસસ્થાને ઘેરાવ કરશે. પ્રિયંકા પણ કોંગ્રેસ હેડક્વાર્ટર પહોંચી ગયા છે. ઈ તરફ કોંગ્રેસનાં પ્રદર્શનને જોતા અકબર રોડ પર ભારે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસે ત્રણ સ્તરોમાં જવાનોને તહોનાત કર્યા છે. અંદર કોઈપણ કાર્યકરને જવા દેવામાં આવતા નથી. આ દરમિયાન, કેન્દ્રનો વિરોધ કરવાતા સોનિયા, રાહુલ સહિત કોંગ્રેસના તમામ સાંસદો ગૃહમાં કાળા કપડા પહેરીને પહોંચ્યા છે.
રાહુલે કહ્યું,આજે દેશમાં લોકશાહી નહીં, માત્ર સરમુખત્યારશાહી; દરરોજ લોકશાહીની હત્યા થઈ રહી છે. મોંઘવારી, બેરોજગારી, જીએસટી અને તપાસ એજન્સીના દુરુપયોગના મુદ્દે કોંગ્રેસ શુક્રવારે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. આ દરમિયાન રાહુલ ગાંધીએ દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેણે કહ્યું કે આજે દેશમાં લોકશાહી નથી, માત્ર સરમુખત્યારશાહી જ છે.
જે કોઈ વિરોધ કરે છે તેની ધરપકડ કરવામાં આવે છે, આજે હિન્દુસ્તાનની આવી હાલત છે.
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે આજે ભારતમાં લોકશાહી નથી. લોકશાહી મરી ગઈ છે. આજે ચાર લોકોની સરમુખત્યારશાહી છે. અમે મોંઘવારી અને લોકોને શું વહેંચવામાં આવી રહ્યું છે તેના પર બોલવા માંગીએ છીએ. અમને સંસદ ભવનમાં બોલવા દેવામાં આવતા નથી. જે કોઈ વિરોધ કરે છે તેની ધરપકડ કરવામાં આવે છે. આજે હિન્દુસ્તાનની આ હાલત છે.