Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

માય મની સોલ્યુશન કંપનીના કૌભાંડમાં ફરી તપાસનો ધમધમાટ : ભોગગ્રસ્ત લોકો ભાવનગરમાં નાયબ કલેક્ટરને ફરિયાદ કરી શકશે

આવતીકાલથી એક મહિના સુધી છેતરપિંડીના ભોગગ્રસ્તોને નાયબ કલેક્ટર સાંભળશે: રાજ્ય સરકારના ગૃહ વિભાગે અસરકારક પગલા ભરી કૌભાંડીઓને છોડવામાં નહીં આવે તેનો આપ્યો નિર્દેશ

aaspassdaily by aaspassdaily
2022-08-03 13:54:06
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર સહિત સમગ્ર ગુજરાત અને રાજ્ય બહાર માય મની સોલ્યુશન નામે કંપની ખોલી કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવાના પ્રકરણમાં આરોપીઓ સામે સિકંજાે વધુ મજબુત બની ગયો છે. ભાવનગર હેડ ક્વાર્ટર ધરાવતા આ કૌભાંડમાં કરોડો રૂપિયા ચાઉ થયા છે અને અનેક ગરીબ અને મધ્યમ વર્ગના લોકોએ મરણ મુડી ગુમાવી રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. આ પ્રકરણમાં રાજ્ય સરકારના ગૃહ વિભાગે સીઆઇડી ક્રાઇમને તપાસ સોંપી હતી. જેમાં ૯ સત્તાવાર મિલ્કત, ૨૧ બેંક ખાતા તથા ૨ વાહનો મળી કરોડો રૂપિયાની મિલ્કત ટાંચમાં લેવાઇ છે. આ પ્રકરણમાં ભોગગ્રસ્તોને ન્યાય મળી રહે તે હેતુથી ભાવનગરના નાયબ કલેક્ટર એચ.એમ. જણકાટને કોમ્પીટન્ટ ઓથોરીટી નિમાયા છે. જેઓ પાંચ ઓગષ્ટથી એક મહિના સુધી ભોગગ્રસ્તોને સાંભળી યોગ્ય કાર્યવાહી કરશે.
ગુજરાત રાજ્ય તથા ગુજરાત રાજ્ય બહારના રાજ્યોમાં આરોપીઓએ માય મની સોલ્યુશન નામની કંપની ઓફિસ નં. જી-૮ સુરભી મોલ, વાઘાવાડી રોડ, ભાવનગરમાં ભાગીદાર ઇન્દ્રજીતસિંહ (બંટીભાઇ) સુરપાલસિંહ ગોહિલ ગઇ તા.૧-૧-૨૦૨૧ના રોજ મરણ ગયા બાદ અન્ય ભાગીદારો અને વહીવટકર્તાએ અલગ અલગ લોભામણી જાહેરાતો આપી વીકલી, મંથલી સ્કીમોમાં નાણાનું રોકાણ કરાવી કુલ ૩,૮૦,૦૯,૮૮,૨૨૪ ચુકવવા માટે ડીસેમ્બર ૨૦૨૦ થી આજદિન સુધી નિષ્ફળ જઇ ફરિયાદી તથા સાહેદો સાથે વિશ્વાસઘાત-છેતરપિંડી કરી તથા આ કંપનીના ભાદીદાર મરણ જનાર ઇન્દ્રજીતસિંહના પિતા સુરપાલસિંહ લઘુભા ગોહિલે ફરિયાદીને પૈસા નહીં આપવાનું જણાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનામાં એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ.
આ કામના આરોપીઓએ અલગ અલગ લોભામણી જાહેરાતો આપી વીકલી-મંથલી સ્કીમોમાં નાણાનું રોકાણ કરાવી, આ નાણામાંથી કુલ ૯ સ્થાવર મિલ્કત ખરીદી કરેલ હોય તથા ૨૧ બેંક ખાતાઓના રૂપિયા જમા કરેલ હોય અને ૨ વાહનોની ખરીદી કરેલ હોય જે તમામ મિલ્કત કબ્જે કરેલ છે અને ગુજરાત સરકારના ગૃહ વિભાગ, ગાંધીનગરના તા.૨૨-૧૦-૨૦૨૧ના હુકમથી આરોપીની મિલ્કત ટાંચમાં લેવામાં આવેલ છે. સદર કંપની દ્વારા અલગ અલગ લોભામણી જાહેરાતો આપી વીકલી, મંથલી સ્કીમોમાં રોકાણકારોના નાણાનું રોકાણ કરાવી તે નાણાંમાંથી વસાવેલ મિલ્કત જી પી.આઇ.ડી. એક્ટ ૨૦૦૩ની કલમ ૪ મુજબ ગૃહ ખાતાને ભલામણ કરવામાં આવેલ એ અનુસંધાને સરકારના હોમ ડીપાર્ટમેન્ટ ગાંધીનગર દ્વારા મિલ્કત ટાંચમાં લેવા માટે કોમ્પીટન્ટ ઓથોરીટી તરીકે જી.પી.આઇ.ડી. એક્ટ ૨૦૦૩ની કલમ ૭(૨) મુજબ સત્તાની રૂઇએ નાયબ કલેક્ટરએ માય મની સોલ્યુશન પેઢી-કંપની દ્વારા કોઇ છેતરપિંડી થયેલ હોય કે કંપનીની કોઇ સ્કીમમાં ભોગ બનેલ હોય તેવા ભોગગ્રસ્તોને દાવાઓ બાબતે જરૂરી આધાર પુરાવાઓ સાથે તા.૫-૮-૨૦૨૨ થી તા.૫-૯-૨૦૨૨ સુધીમાં અત્રેની કચેરી ખાતે જાહેર રજાના દિવસો સિવાય, કચેરી સમય દરમિયાન ઉપસ્થિત રહી દાવા (કલેઇમ) નોંધાવી શકશે તેમ જણાવ્યું છે.

ચકચારી પ્રકરણમાં કોણ કોણ છે આરોપી…
ચિરાગભાઇ વસંતરાય મહેતા (રે.બ્લોક નં.૨૩, સુમેરૂ ટાઉનશીપ, ઘોઘારોડ, ભાવનગર)
ચિરાગભાઇ ઉર્ફે આકાશ કનૈયાલાલ ત્રિવેદી (રે.ફ્લેટ નં.૪૦૩, લક્ષ્મી રેસીડન્સી દેસાઇનગર, એચડીએફસી બેંકની બાજુમાં, ચિત્રા, ભાવનગર)
જયદિપસિંહ ઉર્ફે ગુંજન પ્રદિપસિંહ ગોહીલ (રે.પ્લોટ નં.૨૨, શેરી નં.૬, વિજયરાજનગર, ભાવનગર)
ઉપેનભાઇ જાેષી (રે.અમદાવાદ)
સુરપાલસિંહ લઘુભા ગોહિલ (રે.વિજયરાજનગર, ભાવનગર)
માય મની સોલ્યુશન પેઢી-કંપની ઓફિસ નં.જી-૮, સુરભી મોલ, વાઘાવાડી રોડ, ભાવનગર
સ્વ.ઇન્દ્રજીતસિંહ ઉર્ફે બંટીભાઇ સુરપાલસિંહ ગોહિલ (રે.વિજયરાજનગર, ભાવનગર)

 

Tags: bhavnagarMy Money sol.
Previous Post

ઇ-એફઆઇઆર સંદર્ભે ભાવનગર પોલીસે યોજ્યો જનજાગૃતિ સેમિનાર

Next Post

રૂ.૬ લાખના મ્યાંઉ મ્યાંઉ પાવડર સાથે શખ્સ ઝબ્બે

aaspassdaily

aaspassdaily

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
રૂ.૬ લાખના મ્યાંઉ મ્યાંઉ પાવડર સાથે શખ્સ ઝબ્બે

રૂ.૬ લાખના મ્યાંઉ મ્યાંઉ પાવડર સાથે શખ્સ ઝબ્બે

દુઃખી દીકરીને તેડવા આવેલા પિતાને ધમકાવી સાસરિયાઓએ તગેડી મુક્યા

દોઢ વર્ષ પૂર્વે યુવકના આપઘાતના મામલે બે મહિલા સહિત ત્રણ વિરુદ્ધ ગુનો નોંધાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.